મંગળવાર, 14 સપ્ટેમ્બર, 2010

'તું છે ને !'

ઈશ્વર માટે કહેવાય છે કે,
'સ : એકાકિ ન રમતે !'
ઇશ્વરને ગમતું નહોતું એકલું - એકલું
એટલે
એણે સર્જી આ સૃષ્‍ટિની લીલા !
પણ હે મારા ઈશ્વર !
તને એટલું પૂછું છું
કેટલાંકની દુનિયા તે કેમ
સર્જી એકલી - એકલી.
ઘરનીબારીના પડદા પાછળ -
અસ્‍ત થવા જતો સૂરજ
સામેના નીરવ - નિર્જન મેદાનમાં
લાંબા - લાંબા થતા પડછાયા
માત્ર હીંચકાનો 'કીચૂડ' - 'કીચૂડ' અવાજ
એ હીંચકા પર હીંચકતાં હીચકતાં
જે રોમ રોમ એકલતા ત્રોફે છે.
તેમ મારી જેમ જ હે........ઈશ્વર !
એકવાર એકલો - એકલો
હીંચકી તો જો -
તો, અહેસાસ થાય તને,
કે શું છે 'એકલતા !'
બત્રીસ જાતના પકવાનો છતાં
'એકલાં એકલાં' ગળા નીચે કોળિયો
અટકાઇ જાય ત્‍યારે -
તું અનુભવી શકશે એ
'એકલતા' ની વેદના !
રોગથી, દર્દથી, પીડાથી
આ દેહ કણસતો હોય ત્‍યારે,
કોઇ 'કેમ છે ?'
એટલું પણ પૂછનાર ન હોય
ત્‍યારે
એનો અહેસાસ થશે કે,
'એકલતા' શું છે ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો