(શાળામાંથી વિદાય લેતાં વિદ્યાર્થીઓનાં ગુરુજનો વિષેના સ્પંદનો)
(રાગ : દિલ એક મંદિર હૈ)
સ્નેહનું મંદિર છે, અમારું આ સ્નેહનું મંદિર છે,
માતાપિતા છો, બંધુ સખા છો, પ્રેમનું આ ઘર છે.
અંધારામાં અમે અટવાયાં, અંતરના દીપ તમે જલાવ્યાં,
જીવનના રોમ - રોમને ગુરુજી, તમે મઘ મઘ કરિયા.
મબલખ સ્નેહે તમે ભિંજવિયા, અપરાધ મારાં માફ જ કીધાં,
જીવનના તડકા - છાયામાં, આપની હૂંફે જ જીવું -
ચરણે પડીને હું એટલું માંગું, આંખ મીંચું ત્યાં દર્શન પામું,
ભવોભવ અહીં જન્મ ધરી, ગુરુ તમ ઋણ ચૂકવું.
આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.
જવાબ આપોકાઢી નાખો